શું છે માનવજીવન વ્હાલા ?
શું છે માનવજીવન વ્હાલા ?
માનવજીવન શું છે વ્હાલા,
ચાલ તને સમજાવું ;
ચાલ તને સમજાવું રે વ્હાલા,
ચાલ તને સમજાવું !
માનવજીવન એટલે ચાર તબક્કા જીવનના;
ચાર તબક્કા જીવનનાં રે વ્હાલા,
ચાર તબક્કા જીવનનાં !
પહેલો તબક્કો એ બાળપણ રે વ્હાલા,
પહેલો તબક્કો એ બાળપણ,
મોજ, શોખ, આનંદ, ઉત્સાહ, જીજ્ઞાસા
ને કુતૂહલનો આ તબક્કો રે વ્હાલા,
પહેલો રે આ તબક્કો વ્હાલા.
ચાર તબક્કા જીવનનાં રે વ્હાલા,
ચાર તબક્કા જીવનનાં !
બીજો તબક્કો એ યુવાની રે વ્હાલા,
બીજો તબક્કો એ યુવાની,
તરવરાટ, ઉમંગ, ઉત્સાહ, આઝાદી, કલ્પના
ને રોમાંચનો આ તબક્કો રે વ્હાલા,
બીજો રે આ તબક્કો વ્હાલા.
ચાર તબક્કા જીવનનાં રે વ્હાલા,
ચાર તબક્કા જીવનનાં !
ત્રીજો તબક્કો એ પ્રૌઢાવસ્થા રે વ્હાલા,
ત્રીજો તબક્કો એ પ્રૌઢાવસ્થા,
અનુભવ, પરિપક્વતા, જવાબદારી, આશા
ને ઉમ્મીદનો આ તબક્કો રે વ્હાલા,
ત્રીજો રે આ તબક્કો વ્હાલા.
ચાર તબક્કા જીવનનાં રે વ્હાલા,
ચાર તબક્કા જીવનનાં !
ચોથો તબક્કો એ વૃદ્ધાવસ્થા રે વ્હાલા,
ચોથો તબક્કો એ વૃદ્ધાવસ્થા,
જીર્ણતા, પૂર્ણતા, બીમારી, નિવૃત્તિ
ને ભક્તિનો આ તબક્કો રે વ્હાલા,
ચોથો રે આ તબક્કો વ્હાલા.
ચાર તબક્કા જીવનનાં રે વ્હાલા,
ચાર તબક્કા જીવનનાં !