અર્થ
અર્થ
શબ્દના સત્વ તરીકે ઓળખાય છે અર્થ,
ક્યારેક મનોમંથને એ સમજાય છે અર્થ.
શબ્દ તો કર્ણ સુધી પહોંચી આગે ધપે,
ઉરના ઊંડાણ સુધી આવી જાય છે અર્થ.
સારી કે નરસી અસર ઉપજાવવા સમર્થ,
મતિભિન્નતાએ પાઠભેદ થાય છે અર્થ.
તીરથી પણ અધિક અસર પ્રગટાવતો એ,
શબ્દબાણે કોઈ 'વાલ્મીકિ' સર્જાય છે અર્થ.
રત્નાવલીના વાક્પ્રહારથી 'રામબોલા' માંથી,
સંત તુલસીદાસને પ્રગટાવી જાય છે અર્થ.
લક્ષ્મીસ્વરુપા 'પૈસો' પણ છે પર્યાય એનો,
કલિયુગમાં "વાહ વાહ" એની બોલાય છે અર્થ.