સદગુણ
સદગુણ
જીવનમાં સંસ્કારને ઝીલનાર હોય છે સદગુણ,
અવગુણોને અલવિદા કહેનાર હોય છે સદગુણ,
જીવનને આરપાર બનાવી પ્રતિભા આપનારા,
સૌ કોઈને આચરણે ગમનાર હોય છે સદગુણ,
પૂજય છે વ્યક્તિ અત્ર- તત્ર-સર્વત્ર જીવનશૈલી થકી,
સજ્જનોને જીવનમાં લાવનાર હોય છે સદગુણ,
જિંદગીમાં પવિત્રતાને સહજ -સાધ્ય બનાવનારા,
દુઃશ્મનો પણ આખરે સરાહનાર હોય છે સદગુણ,
પરભવનું પાથેય બાંધી ઉન્નતિ આત્મિક કરનારા,
અધોગતિ જીવનની રોકનાર હોય છે સદગુણ.