શબ્દોથી ના માપો
શબ્દોથી ના માપો
શબ્દોથી ના માપો માનવીને ક્યારેય કદીએ.
શબ્દોથી ના પામો માનવીને ક્યારેય કદીએ.
નથી જરૂરી કે શબ્દ એ જ એનું અંતર હોય,
શબ્દોથી ના કાપો માનવીને ક્યારેય કદીએ.
શબ્દ રહી માત્ર બાહ્ય અભિવ્યક્તિ વ્યક્તિની,
શબ્દોથી ના સંતાપો માનવીને ક્યારેય કદીએ.
વૈખરી ઉચ્ચારનાર ઉરે ભાવનાઓ શક્ય છે,
એથી ઓછો ના આંકો માનવીને ક્યારેય કદીએ.
મખમલી વચને પણ શૈતાન હોય છે છૂપાયો,
શબ્દોથી જ સારો ન માનો માનવીને ક્યારેય કદીએ.