ત્રાજવું.
ત્રાજવું.
1 min
13.9K
જગતમાં ન્યાયનું પ્રતીક ગણાય છે ત્રાજવું,
એથી જ ન્યાયાલયમાં એ રખાય છે ત્રાજવું.
જમા ઉધારના હિસાબોને હશે એ કરનારું,
સારાસાર વિવેક શીખવી જાય છે ત્રાજવું.
ઇશ્વરના દરબારમાં હશે આવું કોઈ ત્રાજવું ,
પાપ પુણ્યની તુલાથી સમજાય છે ત્રાજવું.
કરુણતા કેટલી ઉધારને ઊંચુ જવા મળતું !
જમા હોવા છતાં પલ્લું નમી જાય છે ત્રાજવું !
સ્થિતિ સંતુલનની સમસ્યા નિવારનારી રહી,
લેખાંજોખાં કર્મોનાં સન્મુખ થાય છે ત્રાજવું.