છત્રછાયા
છત્રછાયા
જેના પર મા-બાપની છત્રછાયા હોય છે.
સુખમાં એ જ સૌથી સવાયા હોય છે.
આંગળીથી નખ જેમ વેગળા ગણાય.
બાકી બધા આખરે તો પરાયા હોય છે.
બાળપણ જેનું વિતે માવતર વિનાનું.
જગમાં એ બિચારા ગણાયા હોય છે.
'મા' નો ખોળો દેવોને પણ છે દુર્લભ.
મા વિના બાળ જગથી ઘવાયા હોય છે.
ભૂલો ભલે બધું મા-બાપને ના ભૂલશો.
ગીત સદીઓથી એટલે ગવાયા હોય છે.