Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kalpesh Vyas

Comedy Inspirational Romance

4.5  

Kalpesh Vyas

Comedy Inspirational Romance

મનમાં વસેલો જેઠાલાલ

મનમાં વસેલો જેઠાલાલ

1 min
321


આવે છે બબીતાજી ખયાલોમાં જ્યારે જ્યારે

મનનો જેઠાલાલ જાગી જાય છે ત્યારે ત્યારે

પણ દયાનો વિચાર આવે છે જ્યારે જ્યારે

એ જેઠાલાલ ભાગી જાય છે ત્યારે ત્યારે


બબીતાજી એટલે જાણે 'રાગ દિપક'

મનમાં પ્રેમની જ્યોત જગાવી દે છે

અને દયા એટલે જાણે 'રાગ મલ્હાર'

એ જ્યોત પર વાદળા વરસાવી દે છે


બબીતાજી તો પોતની સાથે નથી

કદાચ એટલે જ આકર્ષણ વધુ છે

પણ દયાને ઇગ્નૉર કરાય જ નહી

એ તો પોતાના ઘરની પુત્રવધુ છે


મુસીબતમાં હોય જેઠાલાલ જ્યારે જ્યારે

બબીતાજીનો સાથ મળ્યો હશે ક્યારે ?

પણ મુશ્કેલીઓ આવી જ્યારે જ્યારે

દયાનો સથવારો મળ્યો ત્યારે ત્યારે


બબીતાજી મળી નથી , મળવાની પણ નથી

નાહક એમની આટલી ઝંખના શા કાજે ?

જ્યારે થાકીહારીને ઘરે આવીએ ત્યારે

દયા વાટ જોતી ઉભી હોય છે દરવાજે


દરેક પતિદેવનાં મનમંદિરમાં ક્યાંક

એક સનાતન સત્ય જરુર સમાયું છે

માત્ર દયા જ સાચી જીવનસાથી છે

બબીતાના નામથી મન માત્ર ભરમાયું છે


Rate this content
Log in