રાધાકૃષ્ણ સંવાદ
રાધાકૃષ્ણ સંવાદ
"હે રાધે, મોરપીંછસમી તમારી આંખો,
જાણે આપે છે મારા વિચારોને પાંખો,
આગ્રહભરી વિનંતી છે તમને ઓ રાધે,
આંખોને તમારી તમે જ કાબૂમાં રાખો."
"હે કાના, મુજને પણ મોરના દરેક પીંછામાં,
દેખાવા લાગી છે માત્ર તમારી જ આંખો,
કોણ જાણે એ તમારી જ કોઈ લીલા છે,
કે કોઈ શમણું જોઈ રહી છે મારી આંખો"
"તો રાધે આપણે કેમ ના એવુ કરી લઈએ ?
એક મોરપીંછ હું મારી આંખો પર રાખું,
એક મોરપીંછું તમે તમારી આંખો પર રાખો,
ખુલી આંખથી આપણે જગતને જોઈએ,
મોરપીંછવાળી આંખે એકબીજાને જ જોઈએ"
"પણ કાના, આમ મોરપીંછ હાથમાં રાખી,
આપણે એકબીજાને જ્યારે જોતા હશું,
ત્યારે આખો સંસાર આંખો જોતો હશે,
તો કોણ જાણે લોકોને કેવું લાગતુ હશે ?"
"ઓ રાધા, સમસ્ત સંસારના લોકોમાંથી,
જેના મનમાં સાચા પ્રેમનો ભાવ હશે,
એ જ્યારે પણ મોરના પીંછાને જોશે,
આપણા ક્ષિતિજસમા પ્રેમને યાદ કરશે"