આર્તનાદ
આર્તનાદ
ડૂબતી'તી જીવન-મારી નૈયા ત્યારે તારણહાર તમે ક્યાં હતા;
ભવસાગરમાં પડ્યો ત્યારે ઝીલનારા તમે ક્યાં હતા.-----૧
જીવન મહાભારતમાં હાર વેળા એ પાર્થના સારથી તમે ક્યાં હતા;
હવે તો જીવન ઝેર થયું ઝેરના ઝારણહાર તમે ક્યાં હતા.-----૨
મારી અરજ સમે નરસિંહને મીરાંને સંભાળનારા તમે ક્યાં હતા;
મારા આર્તનાદ વખતે દિલના દાતાર તમે ક્યાં હતા.-----૩
દશેરાએ જીવન-ઘોડું દોડાવવા મારા રામ તમે ક્યાં હતા;
ખરી બાજી વખતે ઓલ્યા ભક્તોના ગુલામ તમે ક્યાં હતા.------૪
મલમ લગાડવા આવ્યા પણ યશલું પડ્યો તો ત્યારે ક્યાં હતા;
મારા સુખ દુઃખ ના સાથી ખરા વખતે તમે ક્યાં હતા.-----૫
હવે ફોરમ લેવા આવ્યા પણ ફૂલ હતું ત્યારે ક્યાં હતા;
યશ પુષ્પ મુરઝાતું'તું ત્યારે હે! વનમાળી તમે ક્યાં હતા.----૬