શહાદત
શહાદત
ભારતીય સેનાના ઇતિહાસનો એ ગોઝારો દિવસ,
ભારત માતા એ સપૂતોને ગુમાવ્યાનો એ દિવસ;
મા-ભોમની રક્ષા કાજે અંતિમ શ્વાસ સુધી લડ્યા એ નરબંકાઓ,
એ વીરોની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પે આ ભ્રષ્ટ નેતાઓ.
કેટલાય મા-બાપનો છીનવાઇ ગયો ઘડપણનો આધાર,
તો કેટલાય બાળકોનો છીનવાઇ ગયો બાપ;
ત્રણ દિવસ કે ત્રણ મહિનાનું એ કમનસીબ બાળક,
જેનો ચહેરો જોઈ ના શક્યો એ બાપ.
કેટલીય સૌભાગ્યવતી નારી બની વિધવા,
તો કેટલીય નારી સૌભાગ્યવતી બનતા પહેલા જ થઇ વિધવા;
ભાઇ-બહેનો એ ગુમાવ્યો એમનો લાડકો ભાઈ,
મિત્રો એ ગુમાવ્યો ભાઈથી અદકેરો ભાઈબંધ.
શું આ પરિસ્થિતિ ફકત શત્રુઓ કે આતંકવાદીઓની છે ભેટ,
કે એનાથી પણ ઉપર છે કોઈ ગદ્દાર દેશવાસીની આ ભેટ;
બે દિવસનો માતમ મનાવી દેશવાસી ગયા ભૂલી,
શું આ શહીદો એ શહાદત આપણા માટે વહોરી!!