અતીત
અતીત
1 min
495
હું કોઈ દી અતીતમાં રહી જ નથી
કે અતીતના સંભારણા થાય...
અતીતના પારખા કયાં કરું
જયારે પોતાના પારકા થાય...
અતીત ભૂલી બધું સ્વીકારવું પડે
ત્યારે પારકા પોતાના થાય...
તેથી હું અતીતમાં રહેતી જ નથી
કે અતીતના સંભારણા થાય..