ગઝલ
ગઝલ
1 min
13.3K
જળ થી વરાળ થઈ પછી વાદળ બનાય છે.
મારા માં શું થયા પછી માણસ થવાય છે?
મનની તરસ વિશે તમે એને પૂછો નહીં ,
દરરોજ હોડી લઈને એ મૃગજળમાં જાય છે!
સૂરજ આ સાંજનો મને એવું કહી ને જાય,
ઊંચાઈ પર તો ક્યાં અહીં કાયમ જિવાય છે?
તડકો ગયો ને છાંયડા નું કામ ના રહ્યું,
એવી સરળ રીતે અહીં માણસ ભુલાય છે.
એને દીવાનખંડની શોભા બનાવું પણ,
આખું તળાવ મત્સ્યના મનમાં જણાય છે.
મૃત્યુ ની પળમાં આમ તો ઝાઝું કશું નથી,
એકાદ શ્ર્વાસથી અહીં અટકી પડાય છે.