પ્યારથી
પ્યારથી
શેર લખ્યો એક એને પ્યારથી,
એ કહે "સમજાવને વિસ્તારથી!"
કે તબીબોને કહો આઘા રહે,
હું ઘવાયો છું નયનનાં વારથી.
આખરે અડફેટમાં આવી ગયો,-
નેણનાં, જે તેજ છે તલવારથી.
પ્રેમ પ્હેરી રોજ એ આવી મળે,
ના કશી નિસ્બત પછી શણગારથી.
કો'ક દી એનાં મુખેથી વાહ નીકળે,
એટલે લખતો રહ્યો હું ક્યારથી.