અમારૂં ગજુ શું?
અમારૂં ગજુ શું?
ભોળીયો ખુદ ભ્રમિત થયો તો અમારૂં ગજુ શું?
વશિષ્ઠનું તપ તૂટી ગયું તો અમારૂં ગજુ શું?
કાયમની કનડગતથી કાનો કંટાળી ગયો તો,
તો અહીંયાં ટકી રહેવાનું અમારૂં ગજુ શું?
જતું તો અહીં ઈશ્ચરને પણ કરવું પડ્યું છે ઘણું;
મનુષ્ય થઈ પકડી રાખવાનું અમારૂં ગજુ શું?
ભોગવવી પડી હાલાકી જે રામ અને કૃષ્ણને,
વ્યથા કહેવા કે સહેવાનું અમારૂં ગજુ શું?
થાયછે કદર બધાની 'સતીષ' અહીંયાં મોત પછી
પણ જીવતેજીવ રોજ મરવાનું અમારૂં ગજુ શું?