અસ્તિત્વનાં ઈશારે
અસ્તિત્વનાં ઈશારે
હેત હૈયાનાં આમ ઉભરાઈને ક્યાં વેરાય?
નથી ખબર તોય હૈયું કાં હળવું ફૂલ થાય?
હું જ પોલી વાંસળી ને મહીં કોણ વાયુ બની,
સુર-સાગરે શૂન્ય સરગમ લહેરાવીને ગાય?
અહરનીશ છે આતશબાજી અહીં સુરજ-ચાંદ-
ને તારલાં તણી-નિરખી નયન કાં ન ભરાય?
અંતરનાં અંધારામાં આ દીપ સત્ય કેરા કોઈ,
પ્રગટાવી કોણ દિવાળી દિલની ઉજવી જાય?
હવે આ અમૃતકળશ છલકાઈ છલકાઈ ને,
ઢોળે પ્રેમ સૌ સંગાથે મલકાઈ મલકાઈ ને,
હવે ઝાઝી નથી ઝન્ઝટ, તો શું હાર ને શું જીત,
થઇ "પરમ" ને પ્રાપ્ત પારકની "પાગલ" પ્રીત,
હેત હૈયાના આ ઉભરાઈને ભલે ને વેરાય,
અસ્તિત્વનાં ઈશારે જ હૈયું મૌન ગીત ગાય.