શા માટે?
શા માટે?
1 min
13.7K
રોજ રહે ખાલી ખાલી રોજ રહે સૂના સૂના ને
અચાનક મધરાત પછી મંદિર ઉભરાય શા માટે?
ગાંધી, કૃષ્ણ મહાવીર પયગંબરની આ તપોભૂમિમાં
હિંસા, ખૂન, ખંડણી ને આતંકવાદીઓ શા માટે?
શ્રીકૃષ્ણે તો ક્યાં સર્ટીફિકેટ આપેલું ને, નંદે પણ,
તો પણ જન્માષ્ટમીની મધરાત સુધી રમાય જુગાર શા માટે?
'અરવિંદ' લાગણીઓ ને ઉર્જાના ઘોડાપુરમાં
સંસ્કૃતિના સંતાનોની અવદશા શા માટે?
મંદિર, મસ્જિદ ગિરજાગરના વૈભવી વાસમાં।
ભગવાન, અલ્લાહ, ઈસુની ઉણપ શા માટે?