Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

જશોદાજીને આંગણિયે

જશોદાજીને આંગણિયે

1 min
183


જશોદાજીને આંગણિયે,

કાંઈ સુંદર શોભા દીસે રે,

મુક્તા ફળના તોરણ લહેકે,

જોઈ જોઈ મનડું હીસે રે. - જશોદાજીને.

મહાલામાલ માનિની હીંડે,

ઉલટ અંગ ન માય રે;

કુમકુમ કેસર ચચર્યા અંગે,

ઘેર ઘેર ઓચ્છવ થાય રે. - જશોદાજીને.

ધન્ય ધન્ય લીલા નંદ ભવનની,

જ્યાંહા પ્રગટ્યાં પરમાનન્દરે,

રંગરેલ નરસૈયો ગાવે,

મન વાદ્યો આનંદ રે. - જશોદાજીને.


Rate this content
Log in