આદિ યોગી
આદિ યોગી
ફૂલોની જેમ ખરવાનો ભય નથી,
માણસની જેમ મરવાનો ભય નથી !
વિચાર-વ્યવહાર, જાગતિક કારણોથી પર,
સમાધિસ્થ પ્રજ્ઞ છું, હું દિગંબર-નગ્ન છું !
પીડા-વ્યથા વિના નિર્ભય-અભય છું,
માર કંઈ જાય નથી, પરાજય નથી
છે શૂન્ય સનાતન શાશ્વત સ્થિરતા !!
જીવન-મૃત્યુથી અજરામર-અક્ષય છું,
મારે કંઈ લય નથી, કોઈ પ્રલય નથી !
શૂન્યમાંથી પ્રગટી શૂન્ય થયો છું ફરી,
વત્તા-ઓછાં થવાનો મને ડર નથી !
તેથી જ તો –
ફૂલોની જેમ ખરવાનો ભય નથી,
માણસની જેમ મારવાનો ભય નથી !