ચીનુકાકા ને ગઝલ અંજલી.
ચીનુકાકા ને ગઝલ અંજલી.
1 min
13.7K
ગયા શ્વાસો રહ્યા શબ્દો,વિલયને મોતના કહેશો,
ક્ષણોનાં મ્હેલમાં છું આ,સમયને મોતના કહેશો.
મરણ મારુ બને મશહૂર કિસ્સો શક્ય છે,
દોસ્તો-લખીને જાવ છું,મારા વિષયને મોતના કહેશો.
હવે આંખો ઉઘાડો કે મીંચીદો ફેર શું પડશે,
ગઝલગઢમાં થતા, મારા ઉદયને મોતના કહેશો.
ચિતા પર કે ન માટીમાં જવાનો હું,
ગઝલ ઓઢી-સદા ઈર્શાદ મળવાનો,
અક્ષયને મોતના કહેશો.
વિરહ ટાણે રિસાઈ જાવમાં,
અણસારને સમજો-સ્મરણના દેશમાં થાશે,
પ્રયણને મોતના કહેશો.