અશ્રુના ત્રાજવે
અશ્રુના ત્રાજવે
1 min
6.8K
શું અહીં મૌનનું સત્ય સમજણ થશે ?
કે ઈજારા પછી કાયદા થઈ જશે !
જિંદગી પામવા આમતો યાતના
અશ્રુના ત્રાજવે વેદના જોખશે ?
ધૂંધળા કેમ છે કારણો એ બધાં
શોધવાને ફરી ભાવના જાગશે,
એષણાઓ બની મૌલિક ચેતના
અંત એનો સગાઈ ભર્યો લાવશે,
કાળની થાપટે ડંખ આતો ભરે
હાયરે ! મંઝિલો મૌતની આવશે !