"સત્ય" હાઇકુ
"સત્ય" હાઇકુ
"આંખ વગર
સત્ય ચોખ્ખું દેખાય
અંધકારમાં"
સત્ય કોઈ બોલતું નથી. અદાલતોમાં ધર્મ ગ્રંથોના સહારાથી બોલાતું સત્ય, એ શું સત્ય છે ? અને એ જો સત્ય હોત તો પછી અદાલતોની જરૂરત ના હોત ! આપસમાં જ ગીતા, બાઇબલ કે કુરાનને હાથમાં લઈને દરેક ફેંસલા થઈ જાત !
ખેર ; સત્ય દરેકને સમજાય છે. પણ તેને કોઈ સ્વીકારતું નથી ! પોતાના આત્માથી પણ તેને છુપાવવાની કોશિષ સતત ચાલુ જ હોય છે ! કોઈ ભૂલ આપણાથી થઈ હોય ,આપણે તેને સ્વીકારતાં અચકાઈએ છીએ ! આપણો અહમ તેને સ્વીકારવા દેતો નથી !! પણ એ જ સત્ય જયારે આપણે રાતનાં સુવા જઈએ ત્યારે આપણને ઉંઘવા દેતું નથી !? વગર આંખે, આંખો બંધ હોવા છતાં આપણને એ ભૂલ,એ સત્ય ચોખ્ખું દેખાય છે !! એનું કારણ એ છે કે , સત્યને કોઈ પ્રકાશની જરૂર નથી તે સ્વયંમ પ્રકાશિત છે....!