કીડીનાં પગનાં ઝાંઝરનાં રણકાર
કીડીનાં પગનાં ઝાંઝરનાં રણકાર
કીડીનાં પગનાં ઝાંઝરનાં રણકારનો,
ઘ્વનિ જે સાંભળી શકે - તે કવિ.
શ્રાવણની મેઘલીરાત્રે વર્ષાની ધાર પર્ણો,
પરથી ધરાપર ટપકતી સાંભળી શકે-
તે હવામાં છવાયેલી ઉદાસી અનુભવે એમાં;
વહેતી ખુશીની લહેરીને સાંભળી શકે -
તેશબ્દોની હુતુતુતુને સ્વરોની અંતાક્ષરી,
અંતરથી રમી શકેને રમાડી શકે - તે કવિ.
નભને પેલે પાર વસતી અનોખી,
દુનિયાને જે નીરખી શકે - તે કવિ.
સમુદ્રપેટાળે સૂતેલા કદી વામન કદી,
વિરાટ વિશ્વવિધાતાને જગાડી શકે - તે.
કાવ્યશક્તિથી પત્થરમાં પ્રાણ પૂરી,
એ મૂર્તિને જે દેવ બનાવી શકે - તે.
શ્રોતાઓના હૈૈયામાં જે પ્રેમ પ્રગટાવી,
અલખનો દીવો પ્રગટાવી શકે - તે કવિ.
અને આવા કવિ એટલે માતરીસાહેબ!