સતત સતાવતા સવાલ
સતત સતાવતા સવાલ
મૃત્યુ પછી આત્માની પ્રક્રિયાના કોઈ વાવડ નથી
બોત્તેર યુરો નામે ભજવાતી લીલા શું અંધશ્રદ્ધા નથી ?
સાક્ષી થઈને ચાલ્યા વર્ષોથી જે એ
સમયના વંશજો કે પૂર્વજો કોણ છે ?
સ્વર્ગને, શોધતા જીવો ભમે જેની પાછળ
મોક્ષના ઇતીયાસના છે કોઈ ઠોસ પુરાવા ?
શ્રદ્ધા ઉપર છોડી દેવાયછે સ્વરૂપ ઈશ્વરનું
જેનો અંત નથી એ અનંતનો ઉદભવ છે ?
જરૂરીયાતને શોધ ખોળથી પટમાં પટ જડે
શું નવું શું જુનું તળ અતળનાં પટ્માં પટ પડે ?
ગદ્ય,પદ્યની કલામાં વિચારે વણાયેલી કલ્પના
શ્વાસ, રૂપ સ્વરૂપની, ફોટોગ્રાફીમાં વર્ક જેવું છે ?
મૃત્યુ પછી આત્માની પ્રક્રિયાના કોઈ વાવડ નથી
બોત્તેર યુરો નામે ભજવાતી લીલા શું અંધશ્રદ્ધા નથી ?