લઘુકાવ્ય
લઘુકાવ્ય
1 min
6.8K
સવારે ઝાડ પર
બેઠેલાં,
પંખીઓ કલશોર
કરે છે ત્યારે,
જે ડાળી ઉપર
કોઈ પંખીઓ
ન બેઠાં હોય,
તો પણ એ ડાળી
સવારને તો
ઉજવે જ છે...!
કાશ! હું
સુખની ગેરહાજરીને પણ
માણી જાણું...!