લોક કહે લખે કવિ કવિતા મા ઝીંદગી ની ગાથા,..
લોક કહે લખે કવિ કવિતા મા ઝીંદગી ની ગાથા,..
લોક કહે લખે કવિ કવિતા મા ઝીંદગી ની ગાથા,
કોઈ બહુ પ્યારી લખે,
કોઈ બહુ ન્યારી લખે,
કોઈ પ્રેમમા તરબતર લખે,.
કોઈ આંસુ મા ભીંજાઈને લખે,
કોઈ કબર મા પોઢી લખે,.
કોઈ લોહીના સથવારે લખે,.
કોઈ પ્રભુ ને પ્યારી લખે,.
કોઈ એને ફરિયાદ ની લખે,.
કોઈ ઘાયલ થઈ લખે,.
કોઈ ઘાયલ કરી લખે,.
પણ મિત્રો,કવિ કવિજ છે,.
કવિતામા જે હોય એના જીવનમા એ ના હોય,.
એના જીવનમા જે હોય એ એની કવિતામા ના હોય,.
એ સુખ માટે લખે,
પણ હોય પોતે દુઃખ મા,.
એ પ્રેમ માટે લખે,.
પણ હોય એ નફરતના બવન્ડરમા,.
એ સૂર્ય ના તેજ પર લખે,
પણ હોય ખુદ અંધકાર મા,.
એ નદીઓ ઝરણાં પર લખે,
પણ હોય એ ઝીંદગીમા ખુદ ખુબ તરસ્યો ને તરસ્યો,.
એ દુહાઈઓ આપતી લખે,
પણ હોય એ બદદુહાઇ ની જંજાળમા,.
જીવન જીવવા ની આશ ના હોય જેને,
કવિ આખો યુગ જીવાડી જાય એને,
લોક વાંચે લોક સમજે કવિ જીવે કલ્પના મા,
પણ કોણ જાણે કોણ સમજાવે લોક ને એજતો છે કવિ ની ઝીંદગી મા,
એ ઝીંદગી માટે લખે,
પણ હોય એની ઝીંદગી અંત મા,