છંદનું વિજ્ઞાન
છંદનું વિજ્ઞાન
1 min
14.1K
ગઝલો ફકત ન છંદનું વિજ્ઞાન હોય છે,
શબ્દો ને ઊર્મિનું અનુસંધાન હોય છે.
એવા પ.પૂ.ધ.ધૂનું બધે સ્થાન હોય છે,
જેને ન માણસાઈનું કૈં જ્ઞાન હોય છે..!
હા, શ્ર્લોક જેવું થાય જો સ્તર પંક્તિનું કદી,
શબ્દોનું એ ખરેખરું સન્માન હોય છે.
કાવડ નહીં, તો કારમાં લઈ જાય છે હવે,
થોડાંક હોય છે ભલે, સંતાન હોય છે.
જ્યાંથી કપાયું ત્યાંથી ઊગી જાય છે ફરી,
વૃક્ષાઈની તો એ ખરી પહેચાન હોય છે.