વલણ એમ કાયમ રહે માનસિક છે.
વલણ એમ કાયમ રહે માનસિક છે.
1 min
13.1K
કવિ શ્રી હરીશ ઠક્કરની પંક્તિ
કદી એ રસિક તો કદી દાર્શનીક છે,
છતાં એ દિશે કાયમી વાસ્તવિક છે.
નથી ભૂલતી એ વિતેલા સમયને,
વલણ એમ કાયમ રહે માનસિક છે.
ઘણી અડચણોને પ્રલોભન તો આવે,
છતાં પ્રેમ એનો સદા પ્રાથમિક છે.
યુવાનીને જોશે છે હિંમત ઘણી ને,
અદાઓ તો એની સદા લાક્ષણિક છે.
નયનમાં સપન છે ઘણા આંજવાનાં,
ઉડાનોય કેવી, ઘણી કાલ્પનિક છે.