કહેવાય નહીં
કહેવાય નહીં
કવિઓ ને "સતીષ" કાંઈ કહેવાય નહીં
કારણ એનાથી જરાય સહેવાય નહીં
ઘાયલ દિલના તો હોય છે "સતીષ" ઈ
એના પર ઘાવ કરી ઘસરકો કરાય નહીં
ઋજુ હ્રદય ને શબ્દોના જાણકાર હોય છે
એટલે શબ્દોના વાર તેનાથી જીરવાય નહીં
સાહિત્યની આડમાં કોઈ શેતાન હોય
એવા લહુરિયાવથી કાંઈ બીવાય નહીં
લાગે અતડાને અભિમાની"સતીષ"પણ
હ્રદયના મેલા હોય ઈ કવિ કહેવાય નહીં