પાગલપન નું કારણ
પાગલપન નું કારણ
જેદિ'થી ઉડી ગઈ ઝાકળ,
ભીતર બંધાઈ ગયું વાદળ,
વલોવાયું આ શું ભીતર,
છલકી ગઈ નૈન ગાગર,
આ અંતરના છે ઉભરા,
આ તો સ્નેહના સાગર,
સમીરની સવારીએ આજ,
મળ્યા મુજને તારા વાવડ,
શબ્દ મારા થયા સિતારા,
ચમકી ગયો કોરો કાગળ,
કાદવે કામણગારા વમળ,
ખીલી ગયા થઈને કમળ,
મંઝિલ આ રહી આગળ,
પગલાં ન નીરખ પાછળ,
જો તારી યાદોની આ આગ,
ને ધુમ્ર્સર તો જાણે નાગણ,
જન્મથી જ છીએ સમ્રાટ,
મંદિરમાં થઇ ગયા માંગણ,
મારા "પરમ" અહંનું મારણ,
થયું "પાગલ"પનનું કારણ.