રાધાનો વિરહ
રાધાનો વિરહ
1 min
6.9K
'કાના, તારા વિરહમાં મારુ
અંતર અગન અગન બળે
તુ મને યાદ કરે કે ના કરે એની
મને ખબર નથી
પણ મારો માયલો રુએ રુએ
તને યાદ કરે.
મીરા:- રાધા તુ તો નસીબની બલિહારી છે. કૃષ્ણ તો હરદમ તને જ યાદ કરે છે
તારી મીઠી યાદોમાં જ ખોવાયેલો રહે છે
મેં ભલે તંબુરાના તારને કાના
સાથે જોડયા, પણ કાનાના મન તો તારી સાથે જોડાયેલા છે.
સાજ સજી ભલે રુકમણી સાથે
બેસે પણ અંતરના સાજ તો તારી સાથે જોડયા છે
તેનુ મન તો હરદમ તારામાજ સમાયેલું છે
રાધા...રાધા... રાધા...