આંસું હ્દયનો પરસેવો
આંસું હ્દયનો પરસેવો
1 min
7.1K
આંખો વિશે હંમેશાં
એવું કહેવાય છે કે...
એને વહેતી રહેવા દેવી જોઈએ...
સાચી વાત એ છે કે,
આંખ રડે એટલે
હ્દયનો પરસેવો બહાર પાડે છે...
પણ એનો મતલબ
જરાયે એવો નથી કે...
આંખોનો પરસેવો જાણી
પાડતા ન રહેવાય....
આંખ રડે તો રડવા દેવી,
થાય જે ઘટના એ થવા દેવી....
જિંદગીની દરેક
સારી નરસી ઘટનાને
"મૂક"
પ્રેક્ષક બનીને,
જોતા ન રહેવાય...
જિંદગીના અમુક બનાવોની
અસરો આખી જિંદગી
લંબાઈને સ્મરણોમાં..
એ વેદનાઓ વિસરાતી નથી.
પરિણામ સ્વરૂપે,
હ્દયને ભૂલો ભોગવી,
આંખોમાંથી ખારાં પાણીના
પરસેવાનો પ્રવાહ પાડવો પડે છે...