કોઈ તો કહો
કોઈ તો કહો
1 min
428
કોઈ તો કહો; એવું શું કારણ થાય છે ?
કે આ તિરંગો રોજે ખાંપણ થાય છે ?
સામે તો માત્ર સસલાઓની જ ફોજ છે,
તો પછી કેમ સિંહોનાં મારણ થાય છે ?
જંગ વાટે જે બે કદી ભેગી થઈ નથી,
એ કેમ વિના જંગે બંધ પાપણ થાય છે ?
ચૂંટણી ટાણે ઝાલ્યાં રે'તા નથી જે મોંઢા,
ત્યાં કેમ આ પર મૌન ધારણ થાય છે ?
“કોઈ બહારનું તો લાગતું નથી 'અર્જુન’,
કો' ઘરનું જ હોવાનું તારણ થાય છે…”