ઝિંદાદીલી
ઝિંદાદીલી
ભરોસો ક્ષણ માત્રનો નથી આ આયખાનો ઓ પામર,
માનવી તું મથે છે આખેઆખો જીવનભરનું ભાથું ભરવા.
શોભે નહીં ઓ સજ્જન તુજને આટલી અધીરાઈ,
નાસભાગને વળી એ પણ સંપત્તિને બાથું ભરવા,
મળેલી આયખાની જણસ છે અમુલ્ય અજાયબી સમ,
મળીએ સૌને સ્નેહાધીન થઈ ઝીંદાદીલીની વાતું કરવા.