નિરાશા
નિરાશા
શ્વાસનું થંભી જાવુ એ કદાચ મૃત્યુ નથી,
પણ
આશાઓનું મરી જાવું
એ મૃત્યુ પણ ખરાબ છે.
જીવન જીવવાની ઇચ્છા ન રહે,
એ કદાચ મૃત્યુ નથી.
પણ
સપનાઓનું મરી જાવું,
એ મૃત્યુથી પણ ખરાબ છે.
હયાતી ન હોય આપણી એ તો
મૃત્યુ છે જ.
પણ,
છતી હયાતી એ જીવવું ન ગમે,
એ કદાચ મૃત્યુથી પણ ખરાબ છે.