ફેસબુક સંજીવની
ફેસબુક સંજીવની
1 min
6.8K
સંસારના
શક્તિબાણથી
મૂર્છાગ્રસ્ત થયેલા
કવિને
વેંઢારતો
હું
ભટકતો રહ્યો
છેલ્લા પચ્ચીસ વર્ષથી...
મૂર્છામાંથી બહાર લાવે
તેવા
હનુમાનજીની શોધમાં...
અચાનક પ્રગટી
અનેક
કવિઓ મિશ્રિત
સંજીવની
ફેસબુક
થઈને...
એની સુગંધમાત્રથી
કવિ
થવા લાગ્યો.
જાગૃત...
છતાં પણ
ઘાતક શક્તિ
એની અસર
એમ જલ્દી
કેમ છોડે !
કવિને
મૂર્છિત કરી દે
છે
વારંવાર...
અને
હું
તેને
ફેસબુક સંજીવની
ચખાડી દઉં...