સચ્ચાઈ
સચ્ચાઈ
1 min
13.1K
સંવાદ નથી એટલે વિવાદ થાય છે,
ગેરસમજનો બોવ કકળાટ થાય છે.
નથી હોતી પાનખર હંમેશને માટે,
ગરમ તાપમાને જ ઉકળાટ થાય છે.
સમૃદ્ધિ જો હોય વિચારોમાં વહેતી,
તો ક્યાં સંબંધમાં ઉછળાટ થાય છે.
હોય જો દરગુજરની આસ દિલમાં,
પછી જ આ હૃદયનો ચળકાટ થાય છે.