ઈશ્વરની ભૂલ
ઈશ્વરની ભૂલ
“શાને મલકે વ્હાલા મારા?”
પૂછે જશોદા મા.
ત્વરિત આપે જવાબ કાનો,
”તું જેને જોડે રોજ હાથ,
હરખું છું એ ઈશ્વરની જોઈ લીલા.
ન લખ્યું મુજ ભાગ્ય એણે,
ઉતાવળે મોકલ્યો ધરતી પર મુજને.
હતો અનાથ, તો
મેળાપ કરાવ્યો તુજ સંગ.
ન હતી ચાર દિવાલ, તો
ઠંડી ઉડાડવા તાપણું આપ્યું.
સાથે તારી હૂંફ.
એમ ખુદ સુધારી ખુદની ભૂલ.”