આ જગનાં રહેનારા
આ જગનાં રહેનારા
ન સમજી શક્યા મને, આ જગનાં રહેનારા
ને મારી આત્મીયતા ને ધોઈ પીનારા.
ન સમજી શકે સત્ય, શંકાની નજરે જોનારા
કારણ એ તો છે શંકા ને મહત્ત્વ આપનારા
નથી શંકાનું કોઈ ઓસડ, હોય જો ઓસડ
તો રહેવા નથી દેતા દંભ કરનારા.
મુજ સમા રાહીને, કંટકોની શૈયા પર પણ
નિરાંતે જીવવા નથી દેતા આ જગનાં રહેનારા.