મૌન સદાચાર
મૌન સદાચાર
1 min
13.8K
એક આભાને પહેરેદારનો વિવેક
સાવ મૃદુ ચહેરે ઊભો છે તેના કર્મો સામે,
ક્યાં ગયું એ ઋણ અસ્તિત્વ ઔદાર્ય તત્પરતા
ને તેજસ્વીતા?
જે સતત મને મારવા,
કાપવા પછાડવા મથતું હતું એની
સામે મારુ ઋષિ સમાન સાદગી,
વિવેક જ્ઞાનનું તેજ ઝગમગતું હતું.
પણ હા મારે પણ વાસ્તવિકતાનો
સત્યને સાથે લઈને ચાલવાનો
નિત્ય ક્રમ ચાલુ રાખવો જ પડ્યો,
મૃત્યુનો પણ યમના દ્વારે ઘંટ વગાડવો પડ્યો ને,
આત્માને પાછો ખેંચીને લાવવો પડ્યો.
સ્વયં ઈશ્વર પણ સમ્યકભાવ અને
વિધાતા પણ મૃત્યુને સુંદર બનાવવા મથી રહી હતી
તે વ્યક્તિત્વ એટલે જ
શાંત તોફાન
મૌન સદાચાર.