વંદેગૌમાતરમ્
વંદેગૌમાતરમ્
ચામડા માટે નિર્દોષ ગૌ માતાની થતી નિર્મમ હત્યાના વિરોધમાં એક નેતાએ રેલી કાઢી. માર્ગમાં એક મંદિર આવતા નેતાએ રેલી રોકી. હવે, પ્રવેશદ્વારની બહાર પોતાના પગમાંના ચામડાના પગરખા કાઢી તેણે શ્રદ્ધાપૂર્વક મંદિરમાં જઈ ઈશ્વરના દર્શન કર્યા અને રેલીની સફળતાના આશીર્વાદ માગ્યા !