ઉત્સવ
ઉત્સવ
કોઈપણ ઉત્સવ કે તહેવારનું મહત્વ આપણા જીવનમાં ઘણું બધું છે. આપણી સંસ્કૃતિમાં દરેક તહેવારોનું એક આગવું મહત્વ રહેલ છે. કોઈપણ ઉત્સવ આવે એટલે લોકોમાં ઉત્સાહ આવી જાય. તહેવાર કેવી રીતે ઉજવવો તેનું આયોજન શરૂ થાય છે લોકો પોતાની શક્તિ પ્રમાણે આનંદ પૂર્વક તે તહેવાર ઉજવે છે.
ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અનેક વિવિધતા વચ્ચે પણ સૌ પોતપોતાનો તહેવાર ઉજવે છે. અખંડ ભારતની ધરોહર એની સંસ્કૃતિ છે. અને આપણી સંસ્કૃતિમાં શાસ્ત્રો અને પુરાણોમાં પણ તહેવારોનું મહત્વ ખૂબ જ છે.