કાતિલ કોણ ?
કાતિલ કોણ ?
સિંધુ સંસ્કૃતિની સભ્યતાને તાદૃશ કરતું તે ગામ. ગામના મકાનો, રસ્તાઓ, કોઠારો દરેકની સુવ્યવસ્થિત રચના જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા. ગામનીઆ સ્વચ્છતા અને શાંતિ નુ એકમાત્ર કારણ હતું તે ગામનાં મુખ્યા સજ્જનસિંહ. મુખ્યા ગામની દરેક સમસ્યાનો ઉકેલ ખૂબ ધૈર્ય અને સમજદારીથી લાવતા હતા અને આ સમસ્યાઓમાંથી હાર નીકળવાની સહનશીલતા તેમને મળતી તેમના પરિવારના સભ્યો પાસેથી. પરિવારના સભ્યોમાં મુખ્યાની પત્ની ઉજ્જવલાદેવી, દિકરી ચંદા, મુખ્યાના નાનાભાઈ વામનસિંહ, નાનાભાઈની પત્ની સરલાદેવી અને તેમની દીકરી તૃષલાનો સમાવેશ થતો હતો. ઘરના આજ સભ્યોની આસપાસ સમાયેલું હતું મુખ્યાનુ સંસાર. જે સુખેથી પસાર થઈ રહ્યું હતું. સમય પોતાનું ચક્ર ચલાવે છે અને તે સાથે વધુ ગાઢ થાય છે ચંદાને તૃષલા નો સંબંધ. રૂપમાં બંને બહેનો જાણે સ્વર્ગથી ઉતરેલી અપ્સરા. કમળ જેવા જેમના નૈન, ગુલાબની પાંખડી જેવા હોઠ અને હરણ સમોવડી ચાલ. બંને બહેનો જ્યારે તેમની કોમળ કેડ માં ઘડા મુકીને પાણી ભરવાનીકળતી ત્યારે ગામ આખુ તેમની સુંદરતા અને સંબંધ જોઈ ને બળી ઉઠતું. ચંદારૂપ અને ગુણ બંનેમાં સમાન જ્યારે તૃષલા નો સહેજ ગુસ્સેલ સ્વભાવ પરંતુ જ્યાં સુધી ચંદા તેના સાથે હતી ત્યાં સુધી તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તેમ ન હતું.
એકદિવસ નિત્યક્રમ મુજબ બંને બહેનો પાણી ભરવા જાય છે ત્યારે- 'અરે વાહ ચંદા તારી આ રત્નજડિત વીંટી તો ખુબ સુંદર છે' - તૃષલા એ કહ્યું.
'હાં, તે મને પિતાજી એ આપી છે'
'તે મને પહેરવા આપ ને, મારા હાથ માં તે વધુ સુંદર લાગશે'- તૃષલા હસતા હસતા બોલી
'અરે તૃષલા જે મારું છે એ તારું જ તો છે પણ આ વીંટી ને પિતાજીએ મને અત્યંત સાચવી ને રાખવા કહ્યું છે તેથી તે હું તને ન આપી શકું'-ચંદા એ સમજાવતાં કહ્યું
ચંદાના મોંથી આમના સાંભળીને તૃષલા સહેજ રોષે ભરાય, ચંદાની પુરી વાત પણ સાંભળવા ન રહી અને ગુસ્સામાં ચંદાને નદી તરફ ધક્કો મારીને તે પોતાના ઘડામાં પાણી ભરી ઘર તરફ ચાલવા લાગી. તૃષલા એટલા તે રોષમાં હતી કે પાછળ ચંદા આવે છે કે નહીં તે પણ જોવા તે ઉભી ન રહી, થોડી વારમાં ચંદા તૃષલાને થોભવાની સાદ દેતી દોડતી આવી. ગામમાં પ્રવેશતા જ આજે વાતાવરણમાં કઈક બદલાવ નો આભાસ થયો.
ગામના લોકોની નજર આજે પણ તેમના પર જ હતી પરંતુ તે નજરમાં હતા સવાલ. આ નજર કોના માટે હતી અને કેમ તેવા વિચારોના વંટોળ સાથે તેમને ઘર તરફ જતાં પોતાના પગલાંને વેગ આપ્યો. પરંતુ આ શું ઘરના દ્વાર પાસે તેમના તો જાણે પગ જ જકડાઈ ગયા. આંખો સમક્ષ જે દૃશ્ય હતું કદાચ તે ગામમાં ક્યારેય કોઈએ જોયું નહિ હોય. તે ઘટનાને વધુ દર્દનાક બનાવવામાં જાણે કુદરત પણ સાથ આપી રહી હોય તેમ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, પવનના સૂસવાટા, વિજળીના કડાકા અને નજર સમક્ષ છે સરલાદેવીનો મૃતદેહ.
હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી. કદાચ કોઈ શા માટે આવું કરે અને કેમ તેવા અનેક વિચારો દરેકના મનમાં આવ્યા પરંતુ તે માત્ર વિચાર બની ને રહી ગયા. દિવસો વીતતા જાય છે અને સમય રમી જાય છે પોતાની રમત. સરલાદેવીના મૃત્યુ ને આજે આઠ મહિના થઈ ગયા છે પરંતુ હત્યાનું રહસ્ય આજેપણ અકબંધ. મુખ્યાની પત્ની ઉજ્જવલાદેવી અંને ચંદાએ તૃષલાને ખુબ સારી રીતે સંભાળી લીધી અને જીવન ફરી એકવાર પાટે ચડી જાય છે.
'ચંદા, ભલે તૃષલા સ્વસ્થ દેખાય છે પરંતુ તારે હંમેશા તેની આસપાસ જ રહેવાનું છે એ તારી જવાબદારી છેને દિકરી ?' - ઉજ્જવલાદેવી એ કહ્યું
'હા મા' એટલું કહીને ચંદા જાણે કોઈ વિચારોમાં ખોવાઈ ગઈ.
ઉજ્જવલા દિકરીના વર્તનમાં આવેલા બદલાવને બહુ પહેલાથી ઓળખી જાય છે પરંતુ તે સમય બરાબર ન હોવાથી તે આ વિશે પછી વાત કરવાનો નિર્ણય કરે છે. નિત્યક્રમ મુજબ બંને બહેનો નદી કિનારે પાણી ભરીને ગામમાં પ્રવેશ કરે છે અને આ શું કુદરત જાણે ફરી એ જ દિવસ બતાવવા જઈ રહી હોય એમ આકાશમાં કાળાડિબાંગ વાદળો, પવનના સૂસવાટા, વિજળીના કડાકા અને ગામના માણસોની એ જ સવાલ ભરી નજરો. જે જોઈને તૃષલાના પગ ત્યાંજ થીજી ગયા.
'તૃષલા ઉભી કેમ રહી ગઈ ? ચાલને ઘરે' - કહેતી ચંદા આગળ ચાલે છે.
તૃષલા તેના મનમાં ઉઠતા પ્રશ્નોના વંટોળને દબાવી ને તેના સાથે ચાલતી થાય છે. ઘરના મુખ્ય દ્વાર પાસે એ જ આઠ મહિના જુના દ્શ્યો પરંતુ આ વખતે તૃષલાના પિતા વામનસિંહનો મૃતદેહ. જે જોઈને તૃષલાના મુખમાંથી ઉગર્યો' એક આખરી ચિત્કાર જે સાથે તે પોતાનો અવાજ ખોઈ બેસે છે.
ફરી એજ સવાલો ફરી એજ વિચારો અને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યાના અનુમાન. પોતાના ભાઈનું મૃત્યુ મુખ્યાને સંપૂર્ણપણે તોડી નાખે છે, પરંતુ ઈશ્વરની મરજી આગળ ક્યાં કોઈનું કંઈ ચાલે છે અને હવે તો પોતાના માથે બે-બે દિકરીઓની જવાબદારી છે એમ વિચારી તે ખુદને સ્વસ્થ કરે છે. સમય ફરી પોતાની રમત રમી જાય છે. વામનસિંહના મૃત્યુને આજે એક વર્ષથી વધુ સમય થઈ ગયા બાદ પણ તૃષલા માતા-પિતાના મૃત્યુના આઘાત માંથી બહાર આવી શકી નથી, અને આમ જ ચાલે છે તેનું જીવનચક્ર.
ચંદા ના વ્યવહાર માં આવેલા બદલાવ વિશે પૂછવા ઉજ્જવલાદેવી ની નજરો તેને આમતેમ શોધતી હોય છે, ત્યાંજ ચંદા મુખ્ય દ્વાર થી અંદર પ્રવેશ કરે છે. તેના મુખ પર આજે એક અલગ જ પ્રકારનો સંતોષ વર્તાય રહ્યો હતો.
'ચંદા દિકરી ક્યાં હતી તું અને તૃષલા ક્યાં છે?' - માં એ પુછ્યુ
'હુ નથી જાણતી માં'- સહેજ ખચકાતા ચંદા એ જવાબ આપ્યો
'આ શબ્દો મારી દિકરી ના નથી... ચંદા શું થયું છે તને? તારા વર્તનમાં આટલી કઠોરતા કેવી રીતે થય ગઈ?'- માં એ આખરે આ પ્રશ્ન પુછી જ લીધો.
'કઠોરતા!ના માં તમારી દિકરી કઠોર નથી.માં શું તમને યાદ છે સરલા કાકી ના મૃત્યુ નો એ દિવસ?- ચંદા એ પુછ્યુ
'હા, દિકરી તે હું કેવી રીતે ભુલી શકું!' - સરલાદેવી એ કહ્યું
'એ દિવસે પિતાજીએ મને એક અત્યંત સુંદર એવી રત્નજડિત વીંટી ભેટમાં આપી જે પિતાજી ને તેમના મિત્ર ઝવેરી કાકાએ જીવનના અંતિમ ક્ષણોમાં આપી હતી.તે અત્યંત કિંમતી તો હતી જ પણ તેથીય વધારે તે પિતાજી માટે મુલ્યવાન હતી કારણકે તે ઝવેરી કાકાની છેલ્લી નિશાની હતી.પિતાજી જ્યારે તે મને આપી રહ્યા હતા ત્યારે કોઈ અમને છુપી રીતે જોઈ રહ્યુ હોય તેવો મને આભાસ થયો હતો અને પિતાજીને વિંટી સાચવી રાખવાનું વચન આપી જ્યારે હું મારા ઓરડામાં જઈ રહી હતી ત્યારે કોઈની વાતચીતનો ગણગણાટ મારા કાનમાં પડ્યો જે સાંભળી હું તે અવાજની દિશામાં આગળ વધી.કાકા કાકી અને તૃષલા પિતાજીની હત્યા કરી તેમનું સ્થાન લેવાની અને તે માટે એ તે જ રત્નજડિત વીંટી કે જે અત્યંત તિક્ષણ છે તેનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યા હતા જેથી હત્યા નો આરોપ મારા પર આવે'- ચંદા એ વિસ્તારમાં સમજાવતાં કહ્યું
'આ વાત સાંભળી ને મારા હૈયે ફાળ પડી માં, પરંતુ પિતાજી ને કઈ કહેતા પહેલા જાતે એકવાર તૃષલા ને સમજાવાનો નિર્ણય કર્યો એટલામાં તૃષલા એ મને પાણી ભરવા જવા સાદ દિધી, અને ત્યાં જ તેને સમજવાનો નિર્ણય ને અમલમાં મુકવાના વિચાર સાથે હું તેના સાથે ચાલતી થઈ.નદીકિનારે તૃષલા એ મારી પાસે વિંટી માંગી જવાબમાં મેં તેને ના કહ્યું અને આગળ કઈ સમજાવું તે પહેલાં જ તૃષલા એ મને નદી તરફ ધક્કો મારી તે ઘર તરફ ચાલી નીકળી'
'દિકરી તને કયાય વાગ્યું તો નહોતું ને?'- ચિંતા સાથે ઉજ્જવલાદેવી ઉભા થઇ ને બોલ્યા
'ઉજ્જવલા , ચંદા ક્યાં છો, જલ્દી થી આંગણા માં આવો' - ઉતાવળા અવાજે સજ્જનસિંહ એ સાદ દીધી
' શું થયું તમે આટલા ચિંતામાં કેમ છો'- ઉજ્જવલાદેવી એ પુછ્યુ
'ગામની પેલા પાર આવેલા જંગલમાં નદી પાસેથી કોઈનો મૃતદેહ મળ્યો છે એવા સમાચાર આવ્યા છે, આપણે ત્યાં જવું જોઈએ' - મુખ્યા બોલ્યા
'ચંદા તું પણ સાથે ચાલ'- પિતાજી એ કહ્યું
જવાબ માં ચંદા માત્ર માથું હલાવીને ના કહે છે. ઉજ્જવલાદેવી અને મુખ્યા જતી વખતે ચંદા ને જુએ છે ત્યારે તેમને કઈક વિચિત્ર અનુભવ થાય છે જાણે તેઓ ચંદા ને છેલ્લી વાર જોઈ રહ્યા હતા.મુખ્યા અને ઉજ્જવલાદેવી બનાવ બન્યો ઝડપથી તે સ્થળે પહોંચે છે ત્યાં જે મૃતદેહ જુએ છે તે છે તૃષલાનો....
'આજથી દોઢ-બે વર્ષ પહેલાં પણ અમને અહીંયા થી આવી જ એક કન્યાનો મૃતદેહ મળ્યો હતો મુખ્યાજી' ટોળામાંથી કોઈ વૃદ્ધ બોલ્યા
'કોણ છો તમે?' - મુખ્યા એ પુછ્યુ
'હુ અને મારી પત્ની અહીં જંગલ પાસે ઝુંપડી માં રહીયે છીએ' - વૃદ્ધ બોલ્યા
' એક-બે વર્ષ પહેલાંની વાત છે અમે અહીં થી પસાર થઇ રહ્યા હતા ત્યારે અમે તે કન્યાને કિનારે જોઈ આ તરફ આવ્યા તે મૃત્યુ પામી હતી ઘણો સમય થઈ ગયો હોવાના કારણે મૃતદેહ સંપૂર્ણ કોહવાઈ ગયો હતો તેથી તેની ઓળખાણ થઈ શકે તેમ ન હતું જેથી અમે તે મૃતદેહને અહિં જ દાટી દિધો હતો.' - વૃદ્ધ એ સમગ્ર વાત સ્પષ્ટ કરી
ત્યાં જ ઉજ્જવલાદેવી ને કોઈના અત્યંત નજીક થી પસાર થવાનો આભાસ થયો.
'ચંદા.......' - ઉજ્જવલાદેવી ચીસ પાડી ઊઠ્યા
' ઉજ્જવલા શું થયું?આમ ચંદા ને સાદ દેવાનું શું કારણ?' - મુખ્યા એ પુછ્યુ
ઉજ્જવલાદેવી ની નજર આસપાસ ચંદા ને શોધવા લાગી, પરંતુ તે ત્યાં ન હતી.
' અહીંયા ખાડો ખોદાવો, મારે તે કોન છે તે જોવું છે'-ઉજ્જવલાદેવી એ ગભરાયેલી અવસ્થામાં કહ્યું
' પરંતુ તે શક્ય નથી આપણે આવું ન કરી શકયે' - મુખ્યા એ કહ્યું
' હું કય નથી જાણતી તમે માત્ર આ ખાડો ખોદાવડાવો' - ઉજ્જવલાદેવી હઠ કરતાં બોલ્યા
મુખ્યા એ ગામમાંથી બે-ચાર માણસો બોલાવી ત્યાં ખાડો ખોદવાનું કામ શરૂ કરાવ્યું , થોડી જ વારમાં લોકો ની નજર સમક્ષ આવ્યો અત્યંત કોહવાઈ ગયેલો મૃતદેહ જેના હાથની આંગળીમાં હતી રત્નજડિત વીંટી.........