વ્રત ઉપવાસ
વ્રત ઉપવાસ
1 min
188
આદિકાળથી ધાર્મિક કારણ બતાવીને,
વ્રત ઉપવાસ કરવામાં આવે છે,
વ્રત, ઉપવાસ શરીર માટે જરૂરી છે.
વ્રત કરવાથી શરીરને આરામ મળે છે,
એ થકી મનની મક્કમતા વધે છે,
મુખ પર તેજ વધે છે.
ભાવના વ્રત ઉપવાસનો મહિમા છે,
નિતી નિયમો થકી ઉપવાસ જરૂરી છે,
તોજ ઉપવાસી કહેવામાં આવે છે.
આજકાલ તો ફરાળી વાનગીઓ,
થાળ ભરી ભરીને આરોગે છે,
કહે આજે ઉપવાસ કર્યો છે.
વ્રત તો તન, મનની શક્તિઓ વધારે છે,
આજકાલ તો એમાંય ફેશન ચાલે છે,
વ્રતના નામે ગતકડાંજ કરે છે.