રાષ્ટ્રહિત
રાષ્ટ્રહિત
ભારતીય સંસ્કૃતિ એવી છે
જ્યાં રાષ્ટ્રહિત સર્વોપરી છે,
જન્મભૂમિ માટે પ્રાણ આપનાર
એવા વીરોની શૌર્ય ભૂમિ છે,
રામચંદ્ર કૃષ્ણની લીલાઓ થકી
અહંકારીઓનું પતન છે,
જયચંદ અમીચંદ જેવા લોકો
આજ પણ સક્રિય છે,
ખુલ્લા પાડો આવા લોકોને
ભારતના નાગરિકોની ફરજ છે,
કાયદા નીતિ નિયમોનું પાલન
એ આપણી ફરજ છે,
સંવિધાનને માન આપનાર
આપણે ભારતના નાગરિક છીએ,
ભારતીય સંસ્કૃતિ એવી છે
જ્યાં રાષ્ટ્રહિત સર્વોપરી છે.