પ્રકૃતિનો ઉમંગ
પ્રકૃતિનો ઉમંગ
અંકુરિત બીજ બને વટવૃક્ષ જ્યારે,
જો પૃથ્વી મનોમન મલકાય ત્યારે.
ઝરણું ખળખળ વહી જાય જ્યારે,
જો પર્વત પણ હૈયે હરખાય ત્યારે.
મંદમંદ સમીર સરી જાય જ્યારે,
જો નદી ઉરે ઉમંગ ઉભરાય ત્યારે.
વાદળી હળવેકથી ચાલી જાય જ્યારે,
જો ગગનમાં ગીતોનું ગુંજન થાય ત્યારે.
વર્ષાની બુંદોનું આગમન થાય જ્યારે,
જો ધરાને આમ ધરવ થાય ત્યારે.