પરીકથાની કથા
પરીકથાની કથા
જિંદગી પરીકથાથી હરિકથા વચ્ચેની સુરીલી સરગમ છે
આમ જુઓ તો, જિંદગી પોતે જ ક્યાં પરીકથાથી કમ છે ?
બાળકોને પરીકથા, જરૂરથી સંભાળાવવી જોઈએ
બાળકોની ખીલે છે કલ્પ્ના શક્તિ અને બાળકોને કરે પુલકીત છે,
આપણને ગમે તે ઉંમરે જો મજા આવતી હોય પરી કથા સાંભળવાની
આપણામાં હજી બાળક જીવે છે એવી હકારાત્મકતા કરાવે પ્રતીત છે,
ખરેખર પરીકથા વાસ્તવિક છે કે નહીં, નથી એ વાતનું મહત્વ
પરીકથાઓ આપણા બચપન કરે નવપલ્લવિત છે,
પરીકથાઓ હોય છે મસ્ત મજાની અને બોદ્ધથી સભર
બુરાઈ પર હોય છે અચ્છાઈનો વિજય એવું કરે ફલિત છે.