પંડિતજી
પંડિતજી
સવારે જાગીને પંડિતજી રોજ,
સ્નાન કરીને પૂજા કરે.
સવારે...
ટીપણું ખોલીને મુહૂર્ત જોતા,
આવનારને આનંદ દેતા,
શાંતિ માટેના યજ્ઞ કરે,
લોકોને મન શાંતિ ધરે.
શુભ-પ્રસંગોની વિધિ કરે,
ઘણી જગ્યાએ કથા પણ કરે,
સૌનાં મનમાં ઉત્સાહ ભરે,
સમાજમાં સંપની વાતો કરે.
સ્નાન...
સવારે...