લાગણીઓને વાચા
લાગણીઓને વાચા
વાંચનાર માટે તો એ માત્ર શબ્દો હોઈ શકે, લખનાર માટે તો લાગણીના સ્વર છે,
જો લખનારની દષ્ટિથી વાંચી શકાય તો લાગણી થાય ઝરમર ઝરમર છે,
કવિની લાગણી સાથે રમત કરતી હોય છે
કુદરત,
શબ્દોમાં લાગણી છુપાવવાનું તો કવિને હોય વર છે,
લાગણીની દુનિયા હોય છે, અલગ અને નિરાળી
લાગણીની ભાષા જો આવે ઉકેલતા તો જીવન રહે તરબતર છે,
યાદોની સાથે જીવંત થઈ જાતી હોય છે, લાગણીઓ પણ
લાગણીઓ તો આપણાં જીવનને શણગાર કરતું જેવર છે,
કવિ જીવ બીચારા થઈ જતા હોય છે, લાગણીને તાબે અકસર
એટલે જ તો કવિ લોકોની દુનિયા હોય હંમેશા લાગણીસભર છે,
વધુ પડતી લાગણી બની જાય છે તકલીફભર્યા લાગણીવેડા
લાગણીની દુનિયામાં રહેવાનું આપણે માફકસર છે.