કવિ
કવિ
1 min
356
શબ્દનાં સાથિયામાં રંગ હોય ના ઉછીના,
સ્વ રક્તથી એને સજાવ મારાં વહાલાં,
જરૂરત શૃંગારની તો હોય રૂપવિહોણાને,
સાદગીના અંચળે રૂપ ખિલાવ મારાં વહાલાં,
એવું ના રચીશ કે જે ભૂલાઈ જાય કાલે,
અમરતાના ખરલે ગીત ઘૂંટાવ મારાં વહાલાં,
સ્વની વેદનાને તો સહુ ગાઈ-બજાવી જાણે
પરાઈ વેદનાનાં સૂર તું જગાવ મારાં વહાલાં,
સૃષ્ટિના જીવનનું કેન્દ્ર તુજ હસ્ત મહીં,
પંપાળી પ્રેમથી પ્રાણ પ્રગટાવ મારાં વહાલાં,
વઘુ તો શું કહું કે તું તો એક કવિ છે,
મૌનમાં શબ્દ-મહિમા સમજાવ મારાં વહાલાં.