ખાલીપાનો શણગાર
ખાલીપાનો શણગાર
ખાલીપામાં ડૂબવાનું હોય છે,
એમ કરી જીવવાનું હોય છે,
ચહેરા ઉપર સ્મિત ઓઢીને
દર્દને છુપાવવાનું હોય છે,
ને મર્યાદાઓ તોડીને સઘળી
ભીતર વિસ્તરવાનું હોય છે,
હાથમાં હાથ મળે તો નસીબ
ભાગ્ય અજમાવવાનું હોય છે,
આશાઓના સહારા ઓળખ
નિરાશાને ખંખેરવાનું હોય છે,
અશાંતિથી દૂર રાખી જાતને
શાંતિને ઓળખવાનું હોય છે,
કલમ હાથમાં પકડીને પછી
ખાલીપાને શણગારવાનું હોય છે,
ટોળામાં મૌન ધારણ કરીને
સ્વ સાથે બોલવાનું હોય છે,
પરિધાનો બદલતાં બદલતાં
કફન સુધી પહોંચવાનું હોય છે,
અહીં "પરમ" ને પામવા માટે
ક્ષણિક "પાગલ" થવાનું હોય છે.